રિપેરિંગ માટે મૂકેલી બેટરી ફૂલી ગયા બાદ બ્લાસ્ટ સાથે મોબાઇલ સળગી ઊઠ્યો
હેલો મિત્રો કેમ છો આજે આ ન્યૂઝ ખતરનાખ છે અને તમને પણ આ ન્યૂઝ જોઈને ધ્યાન રાખવાનું અને આવી કેટલી ન્યૂઝ આવે છે તે માટે સાવચેતી ફોન ચાર્જ કરવાનું
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલા માયાનગર સ્થિત એક મોબાઈલ શોપમાં મોબાઈલના રિપેરિંગ સમયે અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી હતી. મોબાઈલની બેટરી ફૂલી ગઈ હોવાને કારણે બ્લાસ્ટ સાથે આગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આગ સમયે મોબાઈલ કારીગરથી દૂર પડ્યો હોવાના કારણે ઈજા પહોંચી ન હતી. સમગ્ર બનાવ દુકાનના CCTVમાં કેદ થયો હતો.
ગતરોજ સાંજના સમયે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ માયાનગર સ્થિત ડી.પી. મોબાઈલ શોપમાં કારીગર મોબાઈલ રિપેરિંગ કરી રહ્યો હતો, તેણે મોંઘીઘાટ કંપનીનો ફોન આગળના ભાગે મૂક્યો હતો.. એ દરમિયાન અચાનક બેટરી ફૂલી ગયા બાદ બ્લાસ્ટ સાથે સળગી ઊઠ્યો હતો. મોબાઈલમાં આગ લાગતાં જ કારીગર દુકાન બહાર નીકળી ગયો હતો. જોકે મોબાઈલ ફોનની આગની ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થતાં સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ત્યારે આ મોબાઈલની દુકાનમાં અગાઉ પણ બે-ત્રણ વાર મોબાઈલ ફોનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
ALSO READ 😱😅🤣આલે લે..! ક્રિકેટર ડેવિડ વોર્નરે તો આખી ‘પુષ્પા’ ફિલ્મ જ બનાવી નાખી
જો મોબાઈલ વ્યકિતના ખિસ્સામાં હોત તો? મોબાઈલમાં જે આગનો વીડિયો સામે આવ્યો છે એને જોતાં જો મોબાઈલ કોઈ વ્યકિતના ખિસ્સામાં હોત તો તેને ગંભીર ઈજા પહોંચવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. મોબાઈલ શોપમાં પણ કારીગરથી દૂર ટેબલ પર મોબાઈલ પડ્યો હોવાના કારણે સદનસીબે ઈજા થઈ ન હતી.
મિત્રો આ વેબસાઈટ માં આ ન્યૂઝ નો એક સિસિટીવી વિડીયો પણ આપેલ છે અને આ ન્યૂઝ સાચી છે કે નહીં તે જોવા માટે અહીં નીચે તેની ક્રેડિટ લિંક પણ આપેલ છે
જો મોબાઈલ વ્યકિતના ખિસ્સામાં હોત તો? મોબાઈલમાં જે આગનો વીડિયો સામે આવ્યો છે એને જોતાં જો મોબાઈલ કોઈ વ્યકિતના ખિસ્સામાં હોત તો તેને ગંભીર ઈજા પહોંચવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. મોબાઈલ શોપમાં પણ કારીગરથી દૂર ટેબલ પર મોબાઈલ પડ્યો હોવાના કારણે સદનસીબે ઈજા થઈ ન હતી.